વડગામ તાલુકામાં હવે મંદિરો પણ સલામત રહ્યા નથી દિન પ્રતિદિન તસ્કરો હવે ગામડાઓમાં આવેલા મંદિરોમાં પણ ચોરી થતી હોવાથી ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.
વડગામ તાલુકાના પેપોળ ગામમાં આવેલા અંબાજી માતાના મંદિરમાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આશરે રૂપિયા 10,000 /- ની કીંમતનું એમ્પ્લીફાયર ચોરી કરીને ઉઠાવી લઈ જવાયું.
આ અંગેની ગ્રામજનોને જાણ થતાં જ ગામના જાગૃત આગેવાન દ્વારા વડગામ પોલીસને જાણ કરી હતી બીટના જમાદાર દ્વારા આવીને તપાસ કરાઇ હતી. પેપોળમાં આવેલા અંબાજી મંદિરમાંથી આ ત્રીજી વાર એમ્પ્લીફાયરની ચોરી કરીને અજાણ્યા ઇસમો ઉઠાવી જતાં ગામમાં ધર્મપ્રેમી જનતામાં તસ્કરો સામે રોષ પ્રવર્તી રહ્યો છે.
From – Banaskantha Update