બનાસકાંઠાના દાંતીવાડામાં આચાર્યએ શાળામાં વિદ્યાનો વેપાર કર્યો

- Advertisement -
Share

બનાસકાંઠાના દાંતીવાડાના જેગોલ ગામની શાળામાં વિદ્યાનો વેપાર કરાયાનો કિસ્સો સામે આવ્યો છે જેગોલની માધ્યમિક- ઉચ્ચત્તર માધ્યમિક શાળાના છાત્રોને વિના મુલ્યે અપાતા પુસ્તકો બારોબાર પસ્તીમાં આપ્યા હોવાનું સામે આવ્યું છે

 

 

 

એકબાજુ ભણશે ગુજરાતની ગુલબાંગો વાગી રહી છે અને બીજી બાજુ સરકારી પુસ્તકો પસ્તીમાં વેચાઈ રહ્યા છે. ત્યારે એક જ પ્રશ્ન થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત?

 

 

 

બનાસકાંઠામાં વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો પસ્તીમાં ફેંકી દેવામાં આવ્યા છે. દાંતીવાડાના જેગોલ ગામની શાળાના પુસ્તકો પસ્તીમાં ગયા છે. ગરીબ બાળકો માટેના પુસ્તકો પસ્તીમાં ગયા. આ પુસ્તકો વિદ્યાર્થીઓને વિના મુલ્યે અપાતા હોય છે.

 

 

 

આચાર્યએ છાત્રોના પુસ્તકો પસ્તીમાં આપી વેપાર કર્યો હતો આચાર્યએ 790 કિલો પાઠ્યપુસ્તકો લોડિંગ રીક્ષામાં ભરાવી વિદ્યાર્થીઓના ભણતર માટે આપયેલા પુસ્તકોનું બારોબારીયું થઇ જતા લોકોમાં રોષ જોવા મળ્યો. જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જે પુસ્તકો શાળામાં વિધાર્થીઓ માટે આપવામાં આવે છે તે જ પુસ્તકો આચાર્ય દ્વારા બારોબાર વેચી મારતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.]

 

 

 

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!