દાંતીવાડાના સાતસણ ગામે અચાનક બિનવારસી હાલતમાં 4 હાથી મળી આવ્યા

- Advertisement -
Share

આજે વહેલી સવારે દાંતીવાડા સાતસણ ગામની સીમમાં અચાનક 4 હાથી મળી આવતાં સ્થાનિકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. જેને લઇ દાંતીવાડા રેન્જ કચેરીએ દોડી આવી હાથી ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે. તપાસમાં અજાણ્યાં માલિકોથી ચારેય હાથી છુટાં પડ્યાં હોવાની આશંકા બની છે. ગામની સીમમાંથી હાથી મળ્યાં હોવાની વાતનું જાણ થતાં લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા. ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર એકસાથે 4 માદા હાથી તદ્દન બિનવારસી હાલતમાં મળી આવ્યાની મોટી ઘટના સામે આવી છે.

 

 

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના સાતસણ ગામની સીમમાં આજે વહેલી સવારે 4 હાથી મળી આવતાં લોકોમાં કૃતુહલ સર્જાયુ હતુ. સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતાં દાંતીવાડા આવી ચારેય હાથીનો કબજો લઇ તેમને પાણી અને ખોરાક આપી ગામમાં જ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. સાથે ચારેય હાથી સંપુર્ણ તંદુરસ્ત અને સુરક્ષિત રહ્યા હોઇ વનવિભાગે રાહતનો દમ લીધો હતો.

 

 

બિનવારસી હાલતમાં આવી રીતે હાથીઓનું ઝુંડ મળી આવતા અચરજ થઈ રહ્યું છે ત્યારે જંગલખાતાને પણ નથી ખબર કે કેવી રીતે આ હાથીઓ અહીં એક સાથે આવી ચઢ્યા. ત્યારે તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે અને શું હવે બનાસકાંઠાના જંગલોમાં હાથીઓનું નવું સરનામું છે કે શું તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ કે એકલ દોકલ નહીં પણ ચાર ચાર હાથી આમ મળી આવ્યા છે. એટલે બની શકે કે જંગલ વિસ્તારમાં બીજા હાથીઓ પણ હોઈ શકે છે.

 

 

વનવિભાગ દ્વારા હાથીના માલિકોની શોધખોળ હાથ ધરી છે. હાથીના માલિકો નહીં મળે તો સંબંધિત જંગલ વિસ્તારમાં છોડવામાં આવી શકે છે. જિલ્લા વન અધિકારીની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લામાં અથવા જિલ્લા બહાર ચારેય હાથીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી શકે છે. પ્રાથમિક તપાસમાં પંથકના કોઇ માલિકોથી ચારેય માદા હાથી છુટાં પડ્યાં હોવાની આશંકા બની છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!