થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી. કેનાલ પરના લોકોએ નગરપાલિકાના તરવૈયાઓને જાણ કરી હતી બાદમાં તરવૈયાઓએ લાશને બહાર કાઢી હતી. યુવકના મૃતદેહને બહાર નીકાળતા માલુમ પડ્યું યુવકના બંને હાથ દોરડા વડે બાંધેલ હતા. બાંધેલા હાથ જોઈને યુવકના મૃતદેહને લઈ હત્યા કરાઇ હોવાની આશંકા લોકોએ વ્યક્ત કરી. મૃતક યુવકનું નામ સંજય દેવન દાસ માળી જેઓ દાડમના વેપારી હતા. પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
From – Banaskantha Update