રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તમામ શહેરોમાં ફાયર સેફ્ટી સહિત એન.ઓસી.ની ચકાસણી કરી અહેવાલ રજુ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે કલેક્ટર દ્વારા હોસ્પિટલો, આઈ.સી.યુ સહિત કેટલાક બિલ્ડીંગોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતાને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરી 200 જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો અભાવ તેમજ ડોક્ટર હાઉસમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરી હોસ્પિટલો બનાવી દેવાતા ત્યાં કોઈ જ એન.ઓ.સી મળે તેવી શક્યતાઓ નહિ અને હાલમાં હોસ્પિટલોમાં એન.ઓ.સી ન હોવાનું માલુમ પડતા જેનો રિપોર્ટ તૈયાર કરી કલેક્ટરને સોંપવામાં આવ્યો. જોકે તપાસ કરતા અધિકારીઓની ઓફીસમાં જ ફાયર સેફ્ટીની બોટલો એક્ષપાયર ડેટવાળી જોવા મળી આવી હતી ત્યારે જોવાનું રહેશે કે તપાસ અહેવાલના પગે કલેક્ટર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કે પછી સુરત કે રાજકોટ જેવી ઘટનાની રાહ જોવામાં આવશે.
પાલનપુરની 200થી વધુ હોસ્પિટલો ફાયર સેફ્ટી વિહોણી, પ્રાન્ત કચેરી અને મામલતદાર કચેરીમાં એક્સપાયર ડેટના સાધનો
- Advertisement -