2 ગાયો ઘાયલ થતાં એમ્બ્યુલન્સ દ્વારા ભાભર ગૌ સેવા કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાઇ
થરાદ-મીઠા હાઇવે પર શુક્રવારે વહેલી સવારે કોઇ અજાણ્યા વાહન ચાલકે ગાયોને અડફેટમાં લેતાં 3 ગાયોના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં રોડ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 2 ગાયો ઘાયલ થતાં એમ્બ્યુલન્સ દ્વારા ભાભર ગૌ સેવા કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, થરાદ-મીઠા હાઇવે પરના સણધર ગામના પાટીયા નજીક ગાયોને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઇ ગાયોના મોત નિપજાવી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
સ્થળ ઉપર 3 ગાયોના મૃતદેહ અને 2 લોહી લુહાણ હાલતમાં ગાયો રોડ પર પડી હોવાની હાઇવે પર પસાર થતાં રાહદારીના નજરે પડતાં જલારામ ગૌ સેવા યુવક મંડળ થરાદ સંચાલક વિનોદભાઇ ઠક્કરના
મોબાઇલ નંબર પર જાણ કરવામાં આવતાં વિનોદભાઇ ઠક્કરે જલારામ ગૌ સેવા મંડળની એમ્બ્યુલન્સ રવાના કરી ઇજાગ્રસ્ત પામેલ ઘાયલ ગાયોને સારવાર અર્થે ભાભર જલારામ ગૌ સેવા કેન્દ્રમાં મોકલી હતી.
From-Banaskantha update