વડગામ પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ અચરનાર આરોપીને આજીવન કેદ
વડગામના વણસોલ ગામના શખ્સે દોઢ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બે શખ્સો સામે ફરીયાદ નોધાઇ હતી.કોર્ટ મુખ્ય આરોપીને આજીવન કેદ સહિત 3 અને 5 વર્ષ મળી 8 વર્ષની કેદ તેમજ 25 હજારનો દંડ ફટકારાયો છે. સહઆરોપીને શંકાનો લાભ આપી મુક્ત કર્યો હતો.
વડગામમા 24 એપ્રીલ 2018એ સગીરાનુ અપહરણ કરવા મામલે વણસોલ ગામના દિનેશજી કેશાજી ઠાકોર(સોલંકી) સહીત વિરજીભાઇ કેશાજી ઠાકોર(સોલંકી) સામે ફરીયાદ નોધાઇ હતી.જે કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નૈલેશ એમ જોષીની દલીલોને લઇ ન્યાયાધીસ આર આર ચૌધરીએ કેસના વિરજીભાઇ કેશાજી ઠાકોરને ગુનામાથી શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરાયો હતો.જ્યારે મુખ્ય આરોપી દિનેશભાઇ કેશાજી ઠાકોર(સોલંકી)ને આજીવન કેદ સહીત 3 અને 5 વર્ષ મળી 8 વર્ષની કેદ સહીત કુલ રૂ.25 હજારનો દંડ કરાયો છે.સહીત આરોપી કાચાકામના કેદી તરીકે જેટલો સમય જેલમાં રહ્યો તેટલો સમય સજામાંથી મજરે આપવા તેમજ રૂ.20,000નુ વળતર આપવા હુકમ કરાયો હતો.