અંબાજીમાં સુરક્ષા જવાને ચેન પરત કરી પ્રમાણિકતા દાખવી સરાહનીય કાર્ય કર્યું

Share

યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે આવેલા એક શ્રદ્ધાળુ બેનની સોનાની ચેન પરિસરમાં પડી ગઇ હતી. જે સુરક્ષા જવાનને મળતાં પરત આપી પ્રમાણિકતા દાખવી હતી.

[google_ad]

 

યાત્રાધામ અંબાજી મંદિરે મંગળવારે સુરતના મમતાબેન સતીષભાઇ પટેલ માં અંબાના દર્શન કરવા માટે આવ્યા હતા. જ્યાં મંદિર પરિસરમાં પીતળગેટ નાળીયેર સ્ટેન્ડ પાસે તેમના ગળામાં પહેરેલી રૂ. 50,000 ની 10 ગ્રામ સોનાની ચેન પડી ગઇ હતી.

[google_ad]

 

advt

 

આ ચેન જી.આઇ.એસ.એફ.ના જવાન દાંતાના ભરતભાઇ મગનભાઇ પ્રજાપતિને મળી હતી. જેમણે ચેન પોલીસ કંટ્રોલરૂમમાં પી.એસ.આઇ. આર. કે. વાણીયા પાસે જમા કરાવી હતી. દરમિયાન પરિસરમાં માઇક ઉપર એલાઉન્સ કરી મમતાબેનને તેમની ચેન પરત આપવામાં આવી હતી. સુરક્ષા જવાનની પ્રમાણિકતાની સૌએ સરાહના કરી હતી.

 

From – Banaskantha Update


Share