રાજય અને જિલ્લામાં કોરોના વાઈરસ જેવી મહામારી હોય ત્યારે કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે વિવિધ સંસ્થાઓ અને ગામ જનો દ્વારા લોકફાળાથી લોક સેવા કરી રહ્યા છે ત્યારે વડગામ તાલુકાના ધોતા પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો દ્વારા ધોતા ગામના ગ્રામજનોનુ આરોગ્ય જળવાય અને સુખાકારી રહે તે માટે સમગ્ર ધોતા ગામે ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું.
જેમાં ધોતા પ્રાથમિકના આચાર્ય હરેશભાઈ પંચાલ અને શિક્ષક ગણેશભાઈ પુરબિયા તેમજ ધોતા પ્રાથમિક શાળા પરિવાર તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગ દર્શન હેઠળ ધોતા દુધ મંડળીના ચેરમેન અને વાઈસ ચેરમેન તેમજ મંત્રી દ્વારા વડગામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતેથી ઉકાળા લાવી ધોતા ગામે ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું.
જેમાં ધોતા દુધ ઉત્પાદક મંડળી દ્વારા સમગ્ર ગામમાં સેનેટાઈઝ કરીને સમગ્ર ગામજનોને કોરોના સંક્રમણથી બચાવાવના અને કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે પ્રયાસો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
From – Banaskantha Update