ડીસા તાલુકાના શેરપુરા ખાતે આવેલ ગૌશાળામાં છેલ્લા ઘણા સમયથી સાધુ લખીરામ નારણદાસ મહારાજ ગૌશાળાની ગાયો માટે સેવા આપતા હતા. આજે 108 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયા હતા. તેમની અંતિમ યાત્રાને પાલખીમાં લઇ જતા ગૌશાળામાં રહેલી ગાયો પણ સાધુ લખીરામ નારણદાસ મહારાજને જોવા માટે હિંડોળે ચડી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ખાતે આવેલ ગૌશાળામાં છેલ્લા ઘણા સમયથી ગૌશાળામાં રહેલી ગાયોની સાર સંભાળ રાખનાર સાધુ લખીરામ નારણદાસ મહારાજ પોતાને આંખે રોષની ના હોવા છતાં શેરપુરા ગૌશાલ ખાતે ગાયોની સેવા કરતા હતા.
સૌપ્રથમ સાધુ લખીરામ નારણદાસ મહારાજ દુધરેજ, જાત, કોટડા, યાવરપુરા, ગૂગલ તે બાદ શેરપુરા ખાતે આવેલ ગૌશાળામાં બે હજાર ગાયોનું પાલનપોષણ કરી સેવા કરતા હતા.
આજે 108 વર્ષની ઉંમરે તેવો સ્વર્ગવાસ થયા છે. આજે સાધુ લખીરામ નારણદાસ મહારાજ સ્વર્ગ વાસ થતા તમામ ગૌશાળાના સંતો શેરપુરા ગૌશાલ ખાતે દોડી આવ્યા હતા. સ્વર્ગવાસ થયેલ સાધુ લખીરામ નારણદાસ મહારાજ અંતિમયાત્રા પાલખીમાં કરવામાં આવી હતી. સ્વર્ગવાસ લકી રામદાસ મહારાજની જ્યારે પાલખીમાં અંતિમ યાત્રા નિકળી ત્યારે ગૌશાળામાં રહેલી તમામ ગાયો પોતાના સેવકને જોવા માટે હિંડોળે ચડી હતી.
From – Banaskantha Update