બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેની સુચના અને માર્ગદર્શન પ્રમાણે દિયોદર તાલુકાની સણાવ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરનું દબાણ દૂર કરાયું છે. સણાવ ગામના 9 જેટલાં વ્યક્તિઓ દ્વારા ગૌચરની જમીનમાં ખેતી લાયક દબાણ કરાયું હતું.
દિયોદર તાલુકાના સણાવ ગામમાં મસાજી ભુરાજી ચાવડા, અરજણજી ભેમાજી કોળી, લીલાજી સવસીજી કોળી, જોરાજી કટાજી કોળી, ચંપાબેન અમથુજી ઠાકોર, ભલાજી વિરમજી કોળી, જોરાજી ધરમશીજી કોળી, બળવંતજી રાયચંદજી કોળી અને પોપટજી વિરમજી કોળી દ્વારા સર્વે નં. 292, 342, 113 અને 342 ની ગૌચર જમીનમાં દબાણ કરાયું હતું.
આ વ્યક્તિઓ દ્વારા ખેતી લાયક દબાણ કરી ગૌચરની જમીનમાં ખેતી કરવામાં આવતી હતી. તે દબાણ સણાવ ગ્રામ પંચાયત દ્વારા હટાવવામાં આવ્યું છે તેમ બનાસકાંઠા જીલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.
From-Banaskantha update