થરાદના મોરથલમાં સોમવારે સામાન્ય બાબતે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી સર્જાઇ હતી. જેમાં પાંચથી વધુ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં 108 વાન મારફતે સારવાર અર્થે ધાનેરા રેફરલમાં ખસેડાયા હતા. જ્યારે વધુ સારવાર અર્થે આગળ રીફર કરાયા છે. આ અંગે થરાદ પોલીસ મથકે બનાવ અંગે જાણ કરાઇ.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, થરાદના મોરથલમાં સોમવારે સામાન્ય બાબતે એક જ પરિવારના સભ્યો બાખડ્યા હતા. જેમાં મારામારીમાં પાંચથી વધુ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં 108 વાન મારફતે સારવાર અર્થે ધાનેરા રેફરલમાં ખસેડાયા હતા.
[google_ad]
જોકે, વધુ ગંભીર ઇજાઓના કારણે સારવાર અર્થે આગળ રીફર કરાયા છે. જ્યારે હુમલામાં માથા પર ઇજાઓ અને હાથ-પગ પર ફ્રેકચર થયાની ઘટના બની છે. તીક્ષ્ણ હથિયાર ધોકા અને લાકડી વડે હુમલો થતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે થરાદ પોલીસ મથકે સમગ્ર ઘટનાની જાણ કરાઇ છે.
From – Banaskantha Update