આજે તારીખ 31/08/2020ના રોજ રાષ્ટ્રીય લોક અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષના માધ્યમથી પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને ગુજરાત સરકાર સરકારના તેમજ કેન્દ્ર સરકારના અમુક સંવિધાનિક પરિપત્રો સાથે ગેર બંધારણીય હરિજન શબ્દ જેનો ઉલ્લેખ જમીન મહેસૂલ વિભાગમાં કરવામાં છે તેને રદ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી જેમાં સામાજિક આગેવાન મનોજભાઈ પરમાર, પાલનપુર તાલુકા અધ્યક્ષ કિંદનભાઈ પરમાર તેમજ વિવિધ સામાજિક આગેવાનો હાજર રહીને સરકારને રજૂઆત કરેલ છે તેમજ ટુંક સમયમાં આ બાબતે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ રજૂઆત કરવામાં આવશે એવુ જણાવેલ છે.