પાલનપુરના સામઢી ખાતેથી પસાર થતી દાંતીવાડાની કેનાલમાં રસાણા મોટાના યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
[google_ad]
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી ગામ ખાતે દાંતીવાડા મુખ્ય કેનાલ પસાર થાય છે જેમાં આજે રસાણા મોટાના વ્યક્તિની દાંતીવાડાની સુકી કેનાલમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
[google_ad]
કેનાલમાંથી લાશ મળતા આજુ બાજુના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા ગઢ પોલીસ પણ સ્થળે દોડી આવી હતી રસાણા મોટાના યુવકની લાશને પી.એમ અર્થે ખસેડી ગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
પરંતુ લાસને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કરાઈ હોવાની લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. પરંતુ યુવકની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા કરી છે તે તો પી.એમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે.
[google_ad]
From – Banaskantha Update