બનાસકાંઠામાં બાજરીની મોટા પ્રમાણમાં આવક નોંધાઇ : પરંતુ ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નારાજગી

- Advertisement -
Share

ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થયું હતું. પરંતુ સતત ભારે પવન અને વરસાદના કારણે બાજરીના પાકમાં નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો હતો. જેના કારણે બાજરીનો પાક લઈને ખેડૂતો માર્કેટમાં વેચવા માટે આવ્યા ત્યારે પણ તેઓને બાજરીમાં ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે.

 

 

 

 

બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કુદરત જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર રૂઠી ગયો હોય તેમ એક બાદ એક ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવે છે. બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું સૌથી વધી વાવેતર થરાદ તાલુકામાં થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું ચાલુ વર્ષે 1 લાખ 66 હજાર 082 હેકટર જમીનમાં વાવેતર થયું હતું. ત્યારે થરાદ તાલુકામા જિલ્લામાં સૌથી વધુ બાજરીનું 36 હજાર 959 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.

 

 

 

 

બનાસકાંઠા જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે. જેમાં આ વર્ષ ખેતી જિલ્લામાં સારા પ્રમાણમાં કરવામાં આવી છે ત્યારે બે લાખ 92 હજાર 543 અંદાજે હેક્ટર ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે, જે અંદાજે એક લાખ 66 હજાર 082 હેકટર જમીનમાં વાવણી કરવામાં આવી છે. ડીસા તાલુકામાં પણ 27,135 હેક્ટરમાં આ વર્ષે ખેડૂતોએ બાજરીના પાકનું વાવેતર કર્યું હતું.

 

 

 

 

પરંતુ ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ કર્યું છે. પરંતુ સતત કુદરતી આપત્તિઓને કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાજરીના પાકમાં સારા ભાવ મળશે તેવી આશાએ મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સતત ભારે પવન અને કમોસમી વરસાદના કારણે ફરી એકવાર બાજરીના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.

 

 

 

 

બનાસકાંઠા જિલ્લામાં જ્યારે બાજરીનો પાક તૈયાર થવાના આરે હતો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં બાજરીનો તમામ પાક વરસાદના પાણીના કારણે બગડી ગયો હતો અને જેના કારણે બનાસકાંઠા જિલ્લાની બાજરી જ્યારે બજારમાં વેચવા માટે આવે ત્યારે તેના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. જે બાજરીની માંગ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં રહેતી હતી તે જ બાજરીનો ભાવ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવડાવી રહ્યો છે. જ્યારે ગત વર્ષે ખેડૂતોને આ સમયે 300થી પણ વધુનો બાજરીના પાકમાં ભાવ મળતો હતો તે આ વર્ષે ઘટીને 250 રૂપિયા જેટલો બાજરીનો ભાવ થઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

 

 

 

 

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ઉનાળુ સીઝનના ખેડૂતોએ સૌથી વધુ બાજરીના પાકનું વાવેતર કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને બાજરીના પાકમાં સારા ભાવ મળી રહે તેવી આશા હતી. જેના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં પોતાના ખેતરમાં મોંઘાદાટ બિયારણો લાવી બાજરીના પાકનું વાવેતર કર્યું હતું.

 

 

Advt

 

 

પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું અને જ્યારે ખેડૂતો બાજરી નીકાળી ત્યારે મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ શરૂઆતમાં જ મોટા પ્રમાણમાં બાજરીની આવક નોંધાઇ રહી છે. સતત વધતી જતી બાજરીની આવકના કારણે માર્કેટયાર્ડમાં ચારે બાજુ બાજરી જોવા મળી રહી છે. વેપારીઓ પણ સવારથી જ ખેડૂતો સાથે બાજરીની હરાજીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!