અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો
[google_ad]
[google_ad]
પાલનપુર એરોમા સર્કલ નજીક શનિવારે વહેલી સવારે અજાણ્યા વાહનની ટક્કરે એ.એસ.આઇ. પોલીસ કર્મીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. પાલનપુર પશ્વિમ પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ અંગે પાલનપુર પશ્વિમ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે.
[google_ad]
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર એરોમા સર્કલ નજીક પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતાં એ.એસ.આઇ. મહંમદ શરીફ શનિવારે વહેલી સવારે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પાછળથી ધડાકાભેર ટક્કર મારતાં તેઓ ફંગોળાઇ જઇ નીચે પટકાયા હતા. જેમને ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
[google_ad]
[google_ad]
જ્યારે ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માતના બનાવમાં એ.એસ.આઇ.નું મોત નિપજતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે પરિવારજનોને આ સમાચાર વાયુવેગે પ્રસરતાં કાલીમા પ્રસરી ગઇ હતી. જ્યારે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. પાલનપુર પશ્વિમ પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ હાથ ધરી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ અંગે પાલનપુર પશ્વિમ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
[google_ad]
From – Banaskantha update