થરાદના લોઢનોરમાં કરિયાણા સ્ટોર્સની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી.દુકાન માલિક વશરામભાઈ નાનજીભાઈ પટેલ ગામની અંદર કરિયાણાની દુકાન ધરાવતા હોઇ જેમાં મંગળવારે સવારે પહેલા પરોઢિયે અચાનક દુકાનમાં આગ લાગતાં ધુમાડાના ગોટા દુકાન ઉપર રહેલા પતરાંની બહાર નીકળતાં દુકાન માલિકને જાણ થતાં નગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં ફાયરમેન વિરમજી રાઠોડ, તેમજ ધનજીભાઈ પ્રજાપતિ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતાં વધુ જાનહાની થતી ટળી હતી.સામાન બળી જતાં નુકસાન થયું હતુ.
From – Banaskantha update