ચારેય ટ્રકના ડ્રાઇવર નાસી છૂટ્યા : મુક્ત કરાયેલા પશુઓને ડીસા પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે
બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર નજીકથી પસાર થઇ રહેલી 4 ટ્રકમાં અબોલ જીવ ભરેલા હોવાની જીવદયાપ્રેમીઓને જાણ થતાં ટ્રકને રોકી તલાશી લેતાં 54 પશુઓ મળી આવ્યા હતા.
જો કે, ચારેય ટ્રકના ડ્રાઇવર નાસી છૂટ્યા હતા. જીવદયાપ્રેમીઓએ પોલીસને બોલાવી ટ્રક અને પશુઓની સોંપણી કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર જીવદયાપ્રેમીઓએ પશુઓ ભરેલી 4 ટ્રક ઝડપી પાડી હતી.
ટ્રકમાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કર્યાં વગર ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવ્યા હતા. 4 ટ્રકમાંથી 51 ભેંસ અને 3 પાડા મળી આવેલા હતા.
જીવદયાપ્રેમીઓએ બનાસકાંઠા પોલીસને જાણ કરી ટ્રક અને પશુઓને કબજો સોંપ્યો હતો. આ અંગે પોલીસે પશુ ક્રૂરતાપૂર્વક મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુક્ત કરાયેલા પશુઓને ડીસા પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.
From-Banaskantha update