પાલનપુરમાં પાણીની લાઇન રીપેરીંગમાં વેઠ વાળવામાં આવતાં પુન: પાણી રેલાયા

- Advertisement -
Share

તૂટેલી પાઇપ ફરતે માત્ર ટયૂબ મારી ઉપર માટી નાખી દેવાઇ

 

પાલનપુર માલણ દરવાજા નજીક પીવાની પાઇપલાઇન તૂટી જતાં જાહેર માર્ગ ઉપર પાણી રેલાયા હતા. સ્થાનિક રહીશોએ પાણીનો વેફડાટ અટકાવવા માટે સત્વરે પાઇપલાઇનનું સમારકામ કરવાની માંગ કરી હતી. જ્યાં નગરપાલિકાએ બુધવારે સમારકામ કર્યું હતું. પરંતુ વેઠ વાળવામાં આવતાં પુન: પાણી વહી રહ્યું છે.

પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં ધરોઇ જૂથ યોજના દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં મંગળવારે કબ્રસ્તાન જવાના રસ્તા નજીક પાઇપલાઇન તૂટી જતાં મોટા પ્રમાણમાં પાણીનો વેફડાટ થઇ રહ્યો છે. પાણી જાહેર માર્ગ ઉપર રેલાઇને અડધો કિલોમીટર સુધી પહોંચ્યું હતું.

 

સ્થાનિક લોકોએ પાણીનો વેફડાટ અટકાવવા માટે સત્વરે પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જ્યાં નગરપાલિકા દ્વારા સમારકામ તો કરાયું હતું.
પરંતુ વેઠ વાળવામાં આવતાં પુન: પાણી રેલાયા છે. આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ‘તૂટેલી પાઇપ ફરતે ટયૂબ મારી ઉપર માટી નાખી દેવામાં આવી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!