થરાદથી ખરીદેલું જીરુ મુન્દ્રા ન પહોંચતાં ટ્રાન્સપોર્ટ માલિક અને ટ્રક ચાલકે છેતરપિંડી આચરતાં ચકચાર

- Advertisement -
Share

જીરૂ 364 બોરી જીરાની જી.એસ.ટી. સાથે કુલ કિં. રૂ. 46,47,323 મુન્દ્રા અમારી કંપનીમાં પહોંચાડવાનું હતું

 

બનાસકાંઠા જીલ્લામાં થરાદ માર્કેટયાર્ડમાંથી મુંબઇના વેપારીએ ખરીદેલ રૂ. 46,47,323 નું જીરુ ગાંધીધામ મુન્દ્રાના ટ્રાન્સપોર્ટ માલિક અને ટ્રક ચાલકે બારોબારીયું કરી છેતરપિંડી આચરતાં ચકચાર મચી ગઇ છે.
જેમાં મુંબઇના વેપારી વિરેન શાહે પોતાના મહેતા દ્વારા થરાદ માર્કેટયાર્ડમાંથી 364 બોરી જીરુ ખરીદી ટ્રાન્સપોર્ટ દ્વારા મુન્દ્રા પહોંચાડવા ટ્રક કરી હતી.
જીરુ ભરેલી ટ્રક મુન્દ્રા ન પહોંચતાં વેપારીએ ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટ માલિકે કોઇ જ જવાબ ન આપતાં વેપારીને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું માલૂમ પડતાં વેપારીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

આ અંગે વેપારી વિરેન ભરત શાહે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, ‘મારી કંપનીમાં અશોકપુરી કાશીપુરી ગૌસ્વામી (હાલ રહે. એમ. લલુભાઇ કંપની મુન્દ્રા, મૂળ રહે. ડાભી, તા.ઉંઝા) મારી કંપનીમાં મહેતા તરીકે નોકરી કરે છે.
હું અલગ-અલગ માર્કેટયાર્ડમાંથી મસાલાની ખરીદી કરી એક્સપોર્ટ કરતો હોઇ હાલ મારે જીરૂ ખરીદી કરી વિદેશમાં એક્સપોર્ટ કરવાનું હોઇ મારા મહેતા અશોકપુરી કાશીપુરી ગૌસ્વામી ફોન કરીને જીરૂ ખરીદવાની વાત કરી હતી.
જેથી મારા મહેતાએ થરાદ માર્કેટયાર્ડમાં મહાલક્ષ્મી ટ્રેડીંગ પ્લોટના માલિક ભગવાનભાઇ ધનાભાઇ જોષી થરાદવાળાની પેઢી આવેલ હોય તેમનો સંપર્ક કરી 20 ટન જીરૂ ખરીદવાની વાત કરી હતી.
જેથી મારા મહેતાને ભગવાનભાઇએ થરાદ રૂબરૂ આવી જીરૂ ચેક કરી ખરીદવાનું જણાવતાં મારા મહેતા અશોકપુરી તા. 01/12/2022 થી 08/12/2022 સુધી થરાદ રોકાઇ થરાદ માર્કેટયાડની અલગ-અલગ
પેઢીઓમાંથી હરાજીમાંથી કુલ 364 બોરી 1 બોરીમાં 55 કિલોની ભરતી જીરાની કુલ કિંમત જી.એસ.ટી સાથે કુલ રૂ. 46,47,323 કિંમત જીરાની ખરીદી કરી હતી.

 

અમોએ તેઓને જણાવેલ કે, ખરીદેલ જીરૂ મુન્દ્રામાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું કહેતાં તેઓએ જય સીયારામ ટ્રાન્સપોર્ટ મુન્દ્રાના માલિક સુરેશભાઇ બી. રબારીનો સંપર્ક કરી થરાદ માર્કેટયાર્ડથી જીરૂ ભરી
અમારી એમ.લલ્લુભાઇ એન્ડ કંપની મુન્દ્રામાં જીરૂ ખાલી કરવાનું છે અને જેના ભાડા બાબતે પણ વાત થયેલી હતી અને સુરેશભાઇએ ગાડી નં. GJ-12-AU-5992 અને ડ્રાઇવરનો મોબાઇલ નંબર આપ્યો હતો.
અને મારા મહેતાને ગાડીના ડ્રાઇવર સાથે મોબાઇલથી વાત થતી હતી અને તે ગાડી તા. 09/12/2022 ના રોજ સવારના નવેક વાગ્યાના સમયે થરાદ માર્કેટયાર્ડમાં આવતાં અમારા મહેતાએ ડ્રાઇવરનું નામ પૂછતાં તેણે તેનું નામ ભૂરાભાઇ રણછોડભાઇ ઢીલા (રહે. માધાપર, ભૂજવાળો) હોવાનું જણાવ્યું હતું.
અને માર્કેટયાર્ડમાં સવારે હરાજી ચાલુ હોવાથી ટ્રાફીક હોય જેથી ગાડી સાંજના છ-એક વાગ્યાના સમયે મહાલક્ષ્મી ટ્રેડીંગ કંપનીના માલિકે અલગ-અલગ પેઢીઓમાંથી 364 બોરીઓ જીરૂ ગાડી નં. GJ-12-AU-5992 માં ભરવાનું ચાલુ કર્યું હતું.
અને ગાડી આશરે દશેક વાગ્યે ભરી હતી અને જેની બીલ્ટી અમારા મહેતાએ તૈયાર ડ્રાઇવર ભૂરાભાઇને આપીને ગાડી કાંટે કરાવી થરાદ માર્કેટયાર્ડથી તા. 10/12/2022 ના રાત્રિના પોણા એક વાગ્યાના સમયે રવાના કરી હતી.

 

મારા મહેતા અશોકપુરીએ અમોને ટેલિફોનિક જાણ કરી હતી. હું ભગવાનભાઇના ઘરે સૂઇ ગયો હતો અને તા. 10/12/2022 ના રોજ મારા મહેતાએ મને સવારના સમયે ફોન કરી જણાવ્યું કે, ગાડીના ડ્રાઇવરને કહેલ કે
ગાડી કેટલે પહોંચેલ છે તો મને જણાવ્યું હતું કે, ગાડી બગડેલ હોવાથી રીપેર કરાવીને હવે નીકળેલ છું અને સાંજના ફોન કરતાં કહેલ કે, હું સમખીયાળી પહોંચેલ છું.
અને હું રાત્રિના મુન્દ્રા પહોંચી જઇશ અને તા. 11/12/2022 ના સવારના સમયે ફોન કરતાં ગાડીનો ડ્રાઇવર ફોન ઉપડાતો ન હોઇ જેથી જય સીયારામ ટ્રાન્સપોર્ટ મુન્દ્રાના માલિક સુરેશભાઇ બી. રબારીનો સંપર્ક કરતાં
તેમણે કહેલ કે, ડ્રાઇવરનો સંપર્ક કરી હું તમને ફોન કરું છું. પરંતુ ટ્રાન્સપોર્ટવાળાનો ફોન આવેલ નહી કે ફોન ઉપાડતાં નથી તેવી મને વાત કરતાં મેં મારા મહેતાને ડ્રાઇવરનો અને ટ્રાન્સપોર્ટવાળાનો સંપર્ક કરવા કહેલ
અને મારા મહેતાએ મને ફોન કરીને જણાવ્યું કે, જય સીયારામ ટ્રાન્સપોર્ટ મુન્દ્રાના માલિક સુરેશભાઇવાળાનો સંપર્ક થતાં તેઓ કોઇ સંતોષકારક જવાબ આપતાં નથી અને ડ્રાઇવરને ફોન કરેલ પરંતુ ડ્રાઇવરે ફોન ઉપાડતો નથી.
ત્યારબાદ અમો ટ્રાન્સપોર્ટના માલિકને રૂબરૂ મળતાં અને ટેલિફોનિક જાણ કરતાં અમોને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી.
જેથી હું મુંબઇથી ગાંધીધામ આવી મારા લાગતા-વળતાઓની મારફતે ગાડી નં. GJ-12-AU-5992 ના ડ્રાઇવર ભૂરાભાઇ રણછોડભાઇ ઢીલા (રહે. માધાપર, ભૂજ) અને જય સીયારામ ટ્રાન્સપોર્ટના માલિક
સુરેશભાઇ બી.રબારીની તપાસ કરાવતાં તેઓ મળી આવેલ નહી અને અમોને અમારા લાગતા-વળગતા દ્વારા જાણવા મળેલ કે, આ ડ્રાઇવર અનાજ ભરી અગાઉ પણ છેતરપિંડી કરતાં હોય જેથી અમોએ તેઓની
તપાસ કરતાં મળી આવેલ નહી. ત્યારે આ ગાડી નં. GJ-12-AU-5992 ના ડ્રાઇવર ભૂરાભાઇ રણછોડભાઇ અને જય સીયારામ ટ્રાન્સપોર્ટના માલિક સુરેશભાઇ બી. રબારીએ એકબીજાની મદદગારી કરીને મારૂ થરાદ
માર્કેટયાર્ડમાંથી ખરીદી કરેલ જીરૂ 364 બોરી જીરાની જી.એસ.ટી. સાથે કુલ કિં.રૂ. 46,47,323 મુન્દ્રા અમારી કંપનીમાં પહોંચાડવાનું હતું તેની જગ્યાએ અમારો વિશ્વાસ કેળવી બારોબાર સગેવગે કરી અમોને વિશ્વાસમાં
લઇ અમારી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોય જેથી હું અને ભગવાનભાઇ અને અશોકપુરીને સાથે લઇ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતાં પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!