બનાસકાંઠામાં તીડનો કહેર રાજ્ય સરકારનો 25 ટકા તીડ નાશ કરાયાનો દાવો

- Advertisement -
Share

  • બનાસકાંઠા જિલ્લામાં 12 દિવસથી તીડનો આતંક યથાવત
  • રાજસ્થાન બાજુ પવનની દિશાના આધારે એ તરફ ગતિ કરે છે અને દિશા બદલાતા ફરીથી આ વિસ્તારમાં આવી જાય છે
  • આટલું મોટું ઝૂંડ જોઇ મોટીખાનાખરાબી થઇ છે, 14 ડિસે.થી રાજસ્થાની તીડ આવ્યા છે, રાજસ્થાનમાં તીડનું નિયંત્રણ થતું નથી, રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીમ કામગીરી કરી રહી છે: કૃષિમંત્રી ફળદુ

તીડ અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ વિસ્તારમાં ગુરૂવારે પણ નેતાઓ-મંત્રીઓ અને સરકારી અધિકારીઓની અવરજવર ચાલુ રહી હતી. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે દવાનો છંટકાવ કરી 25 ટકા તીડનો નાશ કરી દેવાયો છે અને હજુ કામગીરી ચાલુ છે. બીજીતરફ ગુરૂવારે થરાદ તાલુકાના વધુ 3 ગામો આતરોલ, નારોલી અને રડકા ગામમાં તીડોએ સપાટો બોલાવતાં રાયડાના પાકનો સોંથ વળી ગયો હતો. રાજ્યસરકારે સર્વે કરીને એસડીઆરએફના ધારાધોરણ મુજબ નુકસાની સહાય આપશે તેમ રાજ્યના કૃષિ સહકાર અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતુ. તીડનો ઉપદ્રવ હજુ થોડા દિવસ રહેવાની પણ શક્યતા છે. તીડ નિયંત્રણ માટે બનાસકાંઠા અને કચ્છમાં ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ કચેરીઓ કાર્યરત છે અને રાજ્ય સરકાર સાથે સંકલનમાં છે.

રાજ્યના કૃષિ-સહકાર અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે, થરાદ તાલુકાના ૪ ગામોની આસપાસ મોટા પ્રમાણમાં જોવા મળેલા તીડનો ભારત સરકારના લોકસ્ટ કંટ્રોલની ૧૯ ટીમ તથા રાજ્ય સરકાર અને સ્થાનિક રપ ટ્રેકટર દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી દવા છંટકાવ કરીને રપ ટકા તીડનો તો નાશ પણ કરી દેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવા નુકસાન વાળા ખેડૂતોને સહાય આપવાના દિશા નિર્દેશો કૃષિ વિભાગને આપેલા છે. તદ્દઅનુસાર રાજ્ય સરકાર સરવે કરીને એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ મુજબ નુકશાની સહાય આપશે તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે ઉમેર્યુ કે ખેતીવાડી ખાતાની ફિલ્ડની ટીમો દ્વારા તીડની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છેઅને રાત્રે જ્યાં તીડનું ઝુંડ સેટલ થાય તેનું લોકેશન ગુજરાતની ટીમો દ્વારા રાત્રે શોધી ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમો તથા ટ્રેકટર માઉન્ટેડ ગુજરાતની ટીમોનું દળ બનાવી વહેલી સવારે ૭ થી ૧૧ કલાક સુધી દવા નો છંટકાવ કરી તીડોનું નિયંત્રણ કરાય છે.

૨૪-૧૨ સુધી લોકસ્ટ કંટ્રોલ ટીમની મદદથી કુલ ૧૮૧૫ હેક્ટરમાં જંતુનાશક દવા મેલાથીઓન 96% નો છંટકાવ કરી તીડનું નિયંત્રણ કરવામાં આવેલું છે. ગુરૂવારે થરાદના ચાર ગામોમાં ૩૦૦૦ હેકટર વિસ્તારમાં તીડ નિયંત્રણ કામગીરી કરાઈ છે. મેલેથીયોન ૯૬% દવા ખૂબ જ ઝેરી પ્રકારની હોય જ્યાં પડતર વિસ્તાર હોય અને તીડોએ રાતવાસો કર્યો હોય ત્યાં છંટકાવ કરવામાં આવે છે. આજુબાજુના વિસ્તારના લોકો જાતે અથવા તો પશુ લઈ દવા છંટકાવ વાળા વિસ્તારમાં ન આવે તે માટેની તકેદારી પણ રખાય છે.
તીડનું ઝૂંડ જણાય તેની ટ્રેકિંગની કામગીરી ફિલ્ડ સ્ટાફ મારફત કરાઇ રહી છે. રાત્રે આ ઝૂંડ જ્યાં સેટલ થાય તે અંગેની માહિતી ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમ સાથે શેર કરી વહેલી સવારે નિયંત્રણની કામગીરી હાથ ધરાઇ રહી છે. પવનની દિશા ના આધારે તીડનું ઝુંડ ગતિ કરે છે અને રાત્રીના સમયે સેટ થાય છે. હાલ પવનની દિશાના આધારે થરાદ તાલુકાના આંતરોલ, રડકા, અજાવાડા અને નારોલી ગામની આજુબાજુ જોવા મળેલ તીડ રાજસ્થાન બાજુ પવનની દિશાના આધારે એ તરફ ગતિ કરે છે અને દિશા બદલાતા ફરીથી આ વિસ્તારમાં આવી જાય છે.

હાલ છુટા છવાયા ટોળા દાંતા, સુઇગામ, દાંતીવાડા, વડગામ તાલુકામાં પણ જોવા મળેલ છે. તીડનો આ ઉપદ્રવ હજુ થોડા દિવસ રહેવાની શક્યતા છે. સમગ્ર તંત્ર તેના નિયંત્રણ માટે કાર્યરત છે.બપોર પછી તીડ ઊંચા ઉડતા હોય છે

બપોર પછી દિવસ દરમિયાન તીડ ઊંચા ઉડતા હોય છે. જેથી આ સમયે તેનું નિયંત્રણ કરવું શક્ય બનતું નથી. રાત્રીના સમયે તેઓ બેસી જાય છે. પરંતુ રાત્રિના સમયે તીડ દ્વારા તેના શરીર પરના છિદ્રો સંકોચી લેવામાં આવે છે અને શ્વસનક્રિયા ધીમી હોય છે. જેથી રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે સૂર્યોદય પછી દવા છંટકાવ કરવાની શરૂઆત કરાય છે.
રાજ્ય સરકારે સર્વે કરી એસડીઆરએફના ધારાધોરણ મુજબ નુકસાની સહાય આપશે

 થરાદના વધુ 3 ગામોમાં તીડે પાકનો નાશ કર્યો
 રાજ્ય સરકારે સર્વે કરી SDRF ના ધારાધોરણ મુજબ નુકસાની સહાય આપશે
 ગુરૂવારે પણ નેતાઓની લઇ સરકારી અધિકારીઓઅે મુલાકાત લીધી
 તીડનો ઉપદ્રવ હજુ થોડા દિવસ રહેવાની શક્યતા
 4815 હેકટરમાં અત્યારસુધી મેલાથીઓન દવાનો છંટકાવ કરાયો
 થરાદના 10 ગામોમાં આતંક મચાવી તીડ નારોલીને અડીને આવેલા રાજસ્થાનના શીલું ગામમાં પહોંચ્યા
 થરાદના ધારાસભ્યએ ખેડૂતોને 1 લાખ વળતર ચુકવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો
તીડનો અઠવાડિયામાં કંટ્રોલ કરવા જરૂરી

પોશીનાના સરહદી કોટડાના વીરાફળોમાં તીડ દેખાતાં તંત્ર દોડ્યું
ગુરૂવારે સવારે ગુજરાતના કોટડા ગામના વીરાફળોમાં પણ તીડ દેખાતા તંત્ર દોડતુ થયુ હતુ. વિસ્તરણ અધિકારી બાબુભાઇ ડાભીઅે જણાવ્યુ કે ચાર ગ્રામ સેવક સવારે જ મોકલી દેવાયા છે અને સતત નજર રાખવામાં અાવી રહી છે. વીરાફળોમાં થોડાક પ્રમાણમાં તીડ દેખાયા છે બાકીના રાજસ્થાન તરફ છે. રાજસ્થાનની ટીમો પણ તેમની સીમામાં કામ કરી રહી છે. અા તીડ હવે ક્યાં જાય છે તે શુક્રવારે સવારે ખબર પડશે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!