લોકો ઘરની બહાર આમ તેમ દોડવા લાગ્યા : રીક્ટર સ્કેલ પર 2.0 ની તીવ્રતા નોંધાઇ
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર સહીત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પાલનપુરની ધરા ધ્રુજી હતી. ભૂકંપના આંચકાને લઇને લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા.
શનિવારે ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. પાલનપુર નજીક ભૂકંપનું એ.પી. સેન્ટર નોંધાયું છે. જીલ્લામાં નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.
બનાસકાંઠાના પાલનપુર સહીતના આજુબાજુના વિસ્તારની ધરા શનિવારે ધ્રુજી હતી. રીક્ટર સ્કેલ પર 2.0 ની તીવ્રતા નોંધાઇ હતી.
ભૂકંપનો આંચકો આવતાં લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા અને અફડા-તફડી મચી ગઇ હતી. જોકે, હજુ સુધી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનું એ.પી. સેન્ટર પાલનપુર નજીક નોંધાયું હતું.
બનાસકાંઠા જીલ્લામાં અગાઉ તા. 11 નવેમ્બર 2021 ના રોજ પાલનપુરથી 136 કિલોમીટર દૂર રાજસ્થાન તરફ 4.1 નો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જે બાદ શનિવારે ફરી પાલનપુર સહીત મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘રાજ્યના કચ્છમાં તા. 26 જાન્યુઆરી 2001 ના રોજ રીક્ટર સ્કેલ પર 7.7 ની તીવ્રતાનો સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉમાં હતા.
આ ભૂકંપ સૌથી ભયાનક ભૂકંપમાનો એક હતો. જેમાં 20,000 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને લગભગ 10,00,000 જેટલાં લોકો બેઘર બની ગયા હતા.
શહેરોમાં અને ગામડાઓમાં મોટાપાયે નુકશાન થયું હતું. ભૂકંપના આટલા વર્ષો બાદ પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા આવવાનો સીલસીલો સતત ચાલુ જ છે.
ત્યારે શનિવારે બનાસકાંઠામાં ભૂકંપના આંચકો આવતાં લોકોમાં ડર ફેલાયો હતો. લોકો ઘરની બહાર આમ તેમ દોડવા લાગ્યા હતા.’
From-Banaskantha update