કાંસા ગામના 2 આધેડ ખેડૂતો પાટણ તરફ કામ અર્થે આવી રહ્યા હતા
સરસ્વતીના સરીયદથી પાટણ તરફ આવવાના મુખ્ય હાઇવે થીંગડાવાળો બિસ્માર હાલતમાં રોડના કારણે બુધવારે બપોરના સુમારે કોઇ કારણોસર બાઇક અને કાર સામસામે અથડાતાં કાંસા ગામના બાઇક સવાર
બંને ખેડૂતોના સારવાર દરમિયાન મોત થતાં ઘરના 2 મોભી ગુમાવતાં પરિવારો સહીત ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ છે. સરીયદથી પાટણ હાઇવે ઉપર કાંસા ગામના 2 આધેડ ખેડૂતો પાટણ તરફ કામ અર્થે આવી રહ્યા હતા.
તે દરમિયાન હાઇવે ઉપર સરીયદ ગામ નજીક ક્રિષ્ના ફાર્મ હાઉસ નજીક રસ્તા ઉપર થીંગડા મારેલા હોય ઉબડ-ખાબડ મગરની પીઠ સમાન હાઇવે હોય બાઇક ન પછડાય તે માટે વળાંક લેતાં સામે પાટણ તરફથી આવી રહેલ સેન્ટ્રો ગાડી નં. GJ-18-AH-6076 ની બંને સામસામે ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઇકને ટક્કર વાગતાં બાઇક સવાર બંને ખેડૂતો ફંગોળાઇ પછડાતાં માથા સહીત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થળ ઉપર હાજર લોકોએ પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
ગંભીર હાલત જણાતાં સારવાર દરમિયાન કાંસા ગામના અમરતજી મસાજી ઠાકોર (ઉં.વ. આ. 65) અને ઇશ્વરજી તલાજી ઠાકોર (ઉં.વ.આ. 55) મોત નિપજ્યા હતા.
જયારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જયારે મૃતકોની લાશોને પી.એમ. અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જયારે 2 આધેડ ખેડૂતના મોતથી પરિવારજનો અને ગામમાં ઘેરા શોકની કાલીમાં પ્રસરી ગઇ હતી.
From-Banaskantha update