રેલ્વે બ્રિજ નીચે ટ્રાફીકજામની સ્થિતિ સર્જાઇ
પાલનપુરમાં ટ્રાફીક સમસ્યા વકરી છે. દિન-પ્રતિદિન ટ્રાફીકની સમસ્યાને લઇ સ્થાનિક અને આજુબાજુથી આવતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
ત્યારે મંગળવારે પાલનપુર રેલ્વે બ્રિજ નીચે ટ્રાફીકજામમાં એક એમ્બ્યુલન્સ ફસાતાં ભાજપના નેતાએ ટ્રાફીકમાંથી એમ્બ્યુલન્સને નીકળવા પ્રયત્નો હાથ ધર્યાં હતા.
બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ટ્રાફીકની સમસ્યાથી સ્થાનિક અને આજુબાજુથી આવતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. પાલનપુરમાં જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો કામ અર્થે આવતાં હોય છે.
પરંતુ ટ્રાફીકની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. જેમાં મંગળવારે પાલનપુર રેલ્વે બ્રિજ નીચે ટ્રાફીકજામની સ્થિતિ સર્જાઇ હતી.
ટ્રાફીકજામ થતાં વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાતાં ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે ટ્રાફીકમાંથી એમ્બ્યુલન્સને બહાર નીકળવા ભારે જહેમત ઉઠાવી હતી.
જોકે, પાલનપુરમાં પ્રવેશવાના મોટાભાગના રસ્તા ઉપરથી ટ્રાફીકની સમસ્યા મોટાપાયે વકરી છે. જીલ્લા ટ્રાફીક પોલીસ, પાલનપુર તાલુકા ટ્રાફીક પોલીસ અને પાલનપુર શહેર ટ્રાફીક પોલીસ આ ટ્રાફીક નિયંત્રણ કરવામાં ધ્યાન આપે તો મહદઅંશે ટ્રાફીક નિયંત્રણ થઇ શકે તેમ છે.
From-Banaskantha update