પાટીદારોએ સરદાર વલ્લભભાઇ પટેલને ફૂલહાર પહેરાવી તેમના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા સંકલ્પ લીધા
ડીસામાં સોમવારે સરદાર વલ્લભભાઇ પટેલની 147 મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી. પાટીદાર સમાજ દ્વારા બાવલાને ફૂલહાર પહેરાવી ‘સરદાર વલ્લભભાઇ પટેલ અમર રહો’ ના નારા લગાવ્યા હતા અને તેમના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી દેશને મજબૂત બનાવવા પાટીદારોએ સંકલ્પ લીધા હતા.
ડીસામાં પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 147 મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી. સાંઇબાબા મંદિર ખાતે આવેલા સરદારના બાવલાને ફૂલહાર પહેરાવી ‘સરદાર વલ્લભભાઇ પટેલ અમર રહો’ ના નારા લગાવ્યા હતા.
સાથે જ આઝાદી બાદ સમગ્ર ભારતના રજવાડાઓને એક છત્ર નીચે લાવનાર સરદાર વલ્લભભાઇ પટેલના જીવન મંત્ર અને સિદ્ધાંતોની જીવનમાં ઉતારવા માટેના સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
From-Banaskantha update