ડીસામાં આશારામના સમર્થકો દ્વારા રેલી યોજાઇ : આશારામને નહીં છોડે તો 1 કરોડ લોકો સરકારનો વિરોધ કરશે

- Advertisement -
Share

યાત્રા પ્રભાત ફેરી સાથે નીકળી ડીસાના મુખ્ય માર્ગો પર ફરી ગાયત્રી મંદિર ખાતે પૂર્ણ થઇ

 

ડીસામાં આશારામજી પ્રેરિત યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સંકીર્તન યાત્રા યોજાઇ હતી. આ યાત્રા આસેડામાં ગુરુવારે વહેલી સવારે પ્રભાત ફેરી સાથે નીકળી ડીસાના મુખ્ય માર્ગો પર ફરી ગાયત્રી મંદિર ખાતે પૂર્ણ થઇ હતી.

આશારામજીના સમર્થકો દ્વારા ગુરુવારે ડીસામાં હરિનામ સંકીર્તન યાત્રાનું આયોજન કરાયું હતું. આશારામજી નિર્દોષ હોવાનું અને હીન્દુ સંસ્કૃતિને બદનામ કરવાનું ષડયંત્ર હોવાના સંકલ્પ સાથે નીકળેલી
આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલ્વે સ્ટેશનથી પ્રારંભ થઇ એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ, અંબિકા ચોક, રામજી મંદિર, લેખરાજ ચાર રસ્તા અને સ્પોર્ટ્સ ક્લબ થઇ ગાયત્રી મંદિર ખાતે પૂર્ણાહુતિ થઇ હતી.

 

આ અંગે સમિતિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘યાત્રાનો હેતુ લોકોના મનમાં આધ્યાત્મિક ક્રાન્તી લાવવાનો છે. અત્યારે અપરાધિઓને જામીન મળી જાય છે અને સંત જેલમાં બંધ છે.
અમે 9 વર્ષથી તેમનો છૂટવાનો ઇંતજાર કરીને બેઠા છીએ. આશારામજીની પ્રેરણાથી વિશ્વભરના સાધકો દ્વારા હરિનામ સંકીર્તન યાત્રા, બાળ સંસ્કાર કેન્દ્ર અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ શિબિર,
યુવા ઉત્કર્ષ માટે યુવા તેજસ્વી શિબિર અને મહીલા ઉત્થાન માટે “ચાલો સ્વ તરફ જઇએ” જેવા અનેક કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!