પોલીસની કામગીરીથી ટ્રાફીકમાં થોડી રાહત મળી
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માઁ જગતજનની અંબાનું ધામ દેશ-વિદેશમાં વિખ્યાત છે. ત્યારે અંબાના દર્શનાર્થે હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો આવતાં હોય છે. માઁ અંબાના ધામમાં અંબાજીમાં કોઇ પણ ઉત્સવ કે પર્વ નિમિત્તે યાત્રાળુઓનો ઘસારો વધી જતો હોય છે.
હાલમાં દિવાળીના તહેવારોમાં યાત્રાધામ અંબાજીમાં યાત્રાળુઓનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. લોકો દૂરદૂરથી દિવાળી વેકેશનમાં પ્રાઇવેટ વાહનો લઇ યાત્રાધામ અંબાજીમાં આવી રહ્યા છે.
ત્યારે અંબાજીમાં શુક્રવારે મોટી સંખ્યામાં વાહનોની કતારો જોવા મળી રહી છે. અંબાજીના હાઇવે માર્ગો પર વાહનોની મોટી મોટી કતારો જોવા મળી રહી છે.
જેને લઇને હાલમાં ટ્રાફીકજામની સમસ્યા પણ ઉભી થઇ છે. પોલીસની કામગીરી હોવા છતાં દિવાળી વેકેશનને લઇને વાહનોના ભારે ધસારાથી અંબાજીમાં ટ્રાફીકજામની સમસ્યા ઉભી થઇ છે.
મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતાં યાત્રાળુઓ પ્રાઇવેટ વાહનો અને દિવાળી વેકેશનને લઇ ફરવા આવતાં લોકોના વાહનોથી ટ્રાફીકજામની સમસ્યા થઇ છે.
જેને લઇને વાહન ચાલકોને મોટી હાલાકી પણ ભોગવવી પડી રહી છે. અંબાજીમાં સતત પોલીસની કામગીરી હોવાના કારણે ટ્રાફીકજામમાં થોડી રાહત મળી રહી છે.
From-Banaskantha update