અંબાજી દાંતા વિસ્તારમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અંબાજી વિસ્તારમાં સવારે આબુરોડ હાઇવે માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી. ત્યારે રાત્રે અંબાજી હદાડ હાઇવે માર્ગ પર આવેલા પ્રજાપતિ ભવન પાસે અકસ્માત સર્જાયો હતો. રાત્રે અંબાજી હાઈવે માર્ગ પર પ્રજાપતિ ભવન સામે એક ઇકો કાર ચાલકે ભેંસોને અટફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો .જેમાં ત્રણ ભેંસોને ઇજાઓ પહોંચી હતી.
હાઇવે માર્ગ પર રાત્રિના સુમારે કૈલાસ ટેકરી ઢાળ નીચે લાઈટ ના હોવાના કારણે અંધારું હોવાના લીધે ભેંસો ના દેખાતાં અકસ્માત સર્જાયો હતો. હાઇવે માર્ગ પર ઇકો કારે ભેંસોને અડફેટે લેતાં અકસ્માત સર્જાતાં હાઇવે માર્ગ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
From – Banaskantha Update