ડીસાના સાઇકલીંગ લવર્સ ગૃપના 15 સભ્યોની સાઇકલ યાત્રા યોજાઇ

- Advertisement -
Share

ડીસાથી 48 કલાકમાં 309 કિ.મી.નું અંતર કાપી સાળંગપુર દાદાના ધામે પહોંચ્યા

 

ડીસાના સાઇકલીંગ લવર્સ ગૃપના 15 મિત્રો માત્ર 2 દિવસમાં ડીસાથી 48 કલાકમાં 309 કિ.મી.નું અંતર કાપી સાળંગપુર દાદાના ધામે પહોંચ્યા હતા. ‘ક્લીન ઇન્ડીયા, ગ્રીન ઇન્ડીયા’ ના સૂત્રને સાર્થક કરવા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સાઇકલ યાત્રા યોજી હતી.

ધોમધખતા તાપ અને ગરમીમાં પણ દાદાની દયાથી તમામ સાઇક્લીસ્ટો જય શ્રી રામ, જય બજરંગ બલીના નાદ સાથેની આ યાત્રા પૂર્ણ કરી હતી.

જેનો ઉદ્દેશ લોકોમાં સાઇકલીંગ પ્રત્યે જાગૃતિ આવે અને દરેક વ્યક્તિ ‘ક્લીન ઇન્ડીયા, ગ્રીન ઇન્ડીયા’ના મંત્રને પોતાના જીવનનો ભાગ બનાવે તેવી અપિલ કરી હતી.

 

આ ગૃપના સભ્યો 48 કલાકમાં 309 કિલોમીટરનું અંતર કાપી સાળંગપુર પહોંચ્યા હતા. સાઇકલીંગ લવર્સ ગૃપના આ યાત્રા અગાઉ પણ આવી લોંગ ડીસ્ટન્સની યાત્રાના આયોજન કરેલા છે અને ખૂબ મોટી
સંખ્યામાં રોજીંદી 30 કિ.મી. સાઇકલ ચલાવે છે. આ અંગે સાઇકલીસ્ટ શશીભાઇ શાહે જણાવ્યું હતું કે, ‘દરેક લોકોએ રોજ સાઇકલ ચલાવી જોઇએ અને વધુમાં વધુ વૃક્ષો વાવી ગ્રીન ઇન્ડીયા બનાવવા માટે પ્રયાસ કરવો જોઇએ.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!