મગરવાડા મંદિરના યતિ વિજયસોમજી મહારાજના અધ્યક્ષને આશિર્વાદ પાઠવી તેમનું સન્માન કર્યું
બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં મંગળવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ માણિભદ્રવીર દાદાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન-અર્ચન કર્યાં હતા.
મગરવાડા ગામના પૂર્વ સરપંચ ફલજીભાઇ ચૌધરીએ માનેલી માનતા પુરી કરવા આવેલા અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ માણિભદ્રવીર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મગરવાડા મંદિરના યતિ વિજયસોમજી મહારાજના અધ્યક્ષને આશિર્વાદ પાઠવી તેમનું સન્માન કર્યું હતું.
આ અંગે અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ‘માણિભદ્ર વીર દાદામાં અપાર શ્રધ્ધા હોવાથી અવાર-નવાર અહીં દર્શન કરવા આવું છું. મગરવાડા ગામના વતની ફલજીભાઇ ચૌધરીના પરિવારજનો સાથે ચારેક વર્ષ અગાઉ રાજસ્થાનના નાકોડામાં મળવાનું થયું હતું.
ત્યારે તેમણે ગુજરાત સરકારમાં મને સારો હોદ્દો મળે તો સુખડીની ભારોભાર તુલા કરવાની મારા માટે રાખેલી માનતા પુરી કરવા મંગળવારે માણિભદ્રવીર દાદાના દર્શન કરવા આવી છું. વિજયસોમજી મહારાજના સાનિધ્યમાં દાદાની પૂજા-અર્ચના કરી ખૂબ જ ધન્યતા અને હર્ષની લાગણી અનુભવું છું.’
From-Banaskantha update