ગ્રામ પંચાયતમાં મોટી સંખ્યામાં મહીલાઓ દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલીક પાણી આપવાની માંગણી કરાઇ
થરાદ તાલુકાની મલુપુર ગ્રામ પંચાયતની હદમાં આવતી સોસાયટીઓમાં પીવાનું પાણી ન આવતાં મહીલાઓ દ્વારા મંગળવારે ગ્રામ પંચાયતમાં પાણી માટે આવેદનપત્ર આપ્યું હતું.
થરાદ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ જે થરાદ તાલુકાના જીવાદોરી સમાન છે. આ કેનાલમાંથી તાલુકા અને થરાદ શહેરને પીવા માટે પાણી પૂરુ પાડવામાં આવે છે.
થરાદ તાલુકાના મલુપુર ગ્રામ પંચાયતની હદમાં આવતી ભૂમિપાર્ક વૃંદાવન સોસાયટીમાં છેલ્લા કેટલાંય સમયથી પીવાનું પાણી ન આવતાં આ સોસાયટીની મહીલાઓ દ્વારા મલુપુર ગ્રામ પંચાયતમાં મોટી સંખ્યામાં મહીલાઓ દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલીક પાણી આપવાની માંગણી કરાઇ હતી.
From-Banaskantha update