એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં ઇયળો પડતાં ખેડૂતો પર વધુ એક સંકટ જોવા મળ્યું છે
વાવના કેટલાંક ગામડાઓમાં ખેડૂતોના ખેતરોમાં ચોમાસામાં વાવેલા એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં ઇયળો પડતાં ખેડૂતોને મોટી સમસ્યા ઉભી થઇ છે.
જયારે ખેડૂતોની મહેનત નિષ્ફળ જાય તેવી ચિંતા સતાવી રહી છે. ત્યારે સરકાર પાસે ખેડૂતો આજીજી કરી રહ્યા છે કે, તાત્કાલીક સરકાર એરંડામાં દવા છંટકાવ કરવા માટે કંઇક વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠાના સરહદી પંથકમાં દિન-પ્રતિદિન અવાર-નવાર ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ ઉભી થતી હોય છે. 2015 અને 2017 માં ભયંકર પૂરના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હતું.
તે રીતે 2018 નો દુષ્કાળ હોય અને 2022 માં પણ સતત વરસાદના કારણે કેટલાંક વિસ્તારમાં ખેડૂતોએ વાવેલા પાકો પાણીમાં નષ્ટ થયા હતા.
ત્યારે વાવના ધરાધરા, મોરીખા અને ડોડગામ ગામની સીમમાં ચોમાસામાં વાવેલા એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં ઇયળો પડતાં ખેડૂતો પર વધુ એક સંકટ જોવા મળ્યું છે.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘એક બાજુ વધુ વરસાદના કારણે ખેડૂતો પૂરતાં પ્રમાણમાં વાવણી કરી શક્યા નથી. ત્યાં જ્યાં એરંડાના પાકની વાવણી થઇ હતી.
ત્યાં છેલ્લા કેટલાંક દિવસોથી મોટા પ્રમાણમાં ઇયળો પડતાં એરંડાનો પાક નષ્ટ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે અમારે દિન-પ્રતિદિન ખેડૂતો માટે નવુંને નવું સંકટ આવે છે.
ત્યારે બહુ મોટા પ્રમાણમાં ઇયળો પડતાં પાક નષ્ટ જવાના આરે છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે ખેડૂતોનો પાક બચાવવા માટે તંત્ર ગામડાઓની મુલાકાત લઇ એરંડાના પાક માટે કંઇ વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.
જો તંત્ર સહાયતા નહીં કરે તો આવનારા સમયમાં ઇયળો પાકનો નાશ કરી ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેશે તેની ખેડૂતોને સતત ચિંતા સેવાઇ રહી છે.’
From-Banaskantha update