સ્થાનિક લોકોને પાણીની તકલીફો : અંબાજી ગ્રામ પંચાયતની કામગીરી પર પ્રશ્ન
સ્વચ્છ સુંદર અને તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતું માં અંબાનું ધામ અંબાજી દર્શનાર્થીઓ માટે સ્વર્ગ સમાન છે. ત્યારે માં અંબાના ધામમાં આવતાં દરેક યાત્રાળુઓ યાત્રાધામ અંબાજીને જોઇ સુખની અનુભૂતિ
કરતાં હોય છે. માં અંબાનું ધામને જોઇ તમામ લોકો અંબાજી આવવાનું અને માં અંબાની આરાધના કરવાનું અચૂક લાભ લેતાં હોય છે. પણ જ્યારે અંબાજીના સ્થાનિક મુદ્દાઓ અને અંબાજીના વિસ્તારોની
પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ તો યાત્રાધામ અંબાજી ફક્ત કાગળ અને તંત્રના મોંઢે જ તમામ પ્રકારની સુવિધાઓ યુક્ત છે. અંબાજીમાં સ્થાનિક લોકો પાણી, ગટર અને સફાઇ જેવી પ્રાથમિક
સુવિધાઓથી ખૂબ જ પરેશાન છે. પણ કોઇ તંત્ર કોઇ અધિકારી અંબાજીની સ્થાનિક તકલીફોને સાંભળવા કે તેના પર કામ કરવા તૈયાર જ ન હોય તેવું લાગે છે.
વર્ષોથી અંબાજીના સ્થાનિક લોકો પાણીની સમસ્યાથી પરેશાની વેઠી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તંત્રની બેદરકારી અને ઢીલી કામગીરી ઉપર અનેકો સવાલો ઉભા થઇ રહ્યા છે.
અંબાજીના કૈલાશ ટેકરી નીચે જી.એમ.ડી.સી. તરફ જવાના રસ્તે પાઇપલાઇનમાંથી દરરોજ હજારો લીટર પાણીનો વેડફાડ થઇ રહ્યો છે. પણ અંબાજી ગ્રામ પંચાયત તેના પર કોઇ ધ્યાન અને બગાડને રોકવા માટે કોઇ કામ કરવા તૈયાર નથી.
કૈલાશ ટેકરી નજીક તૂટેલી કે લીકેજ પાઇપલાઇનમાંથી દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ અંબાજીના સ્થાનિક લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. એવી અંબાજી ગ્રામ પંચાયતની કામગીરીને લોકો સલામ કરી રહ્યા છે.
From-Banaskantha update