ડીસા નગરપાલિકા દ્વારા આ મુખ્ય માર્ગને જલ્દી રીપેર કરવામાં આવે અને વાહનચાલકોની મુશ્કેલીઓ હલ થાય તેવી ગ્રામજનોની માંગ છે
ડીસા શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્તાઓ વરસાદી પાણીના કારણે ખરાબ થઇ ગયા છે. શહેરના હાર્દ સમાન જલારામથી સાંઇબાબા મંદિર સુધીના રોડ પર પણ 100 થી વધુ થીંગડા અને ખાડા પડી ગયા હોવાથી હજારો વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં આ વર્ષે ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. ડીસામાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ખોવાઇ ગયા છે.
મોટાભાગના રસ્તા પર ખાડા પડી ગયા હોવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ખાસ કરીને ડીસાના હાર્દ સમાન જલારામ મંદિરથી સાંઇબાબા મંદિર સુધીના પોણા કિલોમીટરના માર્ગ પર
100 થી પણ વધુ ખાડાઓ પડી ગયા છે. કેટલીક જગ્યાએ નગરપાલિકાએ થીંગડા માર્યાં છે. પરંતુ મોટા ખાડા અને થીંગડાના કારણે અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આગામી
સમયમાં દિવાળીના તહેવારોના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારો લોકો ખરીદી માટે શહેરમાં આવે છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ મુખ્ય માર્ગને જલ્દી રીપેર કરવામાં આવે અને વાહનચાલકોની મુશ્કેલીઓ હલ થાય તેવી ગ્રામજનોની માંગ છે.
From-Banaskantha update