બાઇક ચાલકના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડયો : પોલીસે ઘટનાની વધુ જાણકારી માટે તપાસ હાથ ધરી
દાંતા તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત છે. જેમાં શુક્રવારે દાંતા નજીક જગતાપુરા પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. દાંતા નજીક થયેલા આ અકસ્માતમાં 1 વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું.
આ અકસ્માતમાં એક બાઇક, 2 ડમ્પર અને એક બસ વચ્ચે એમ કુલ 4 વાહનો વચ્ચે ટક્કર સર્જાતા અકસ્માતની ઘટના બની હતી.
આ અંગેની વિગત એવી છે કે, દાંતાથી પાલનપુર જતાં માર્ગ પર શુક્રવારે અકસ્માત સર્જાયો હતો. ભયંકર અકસ્માતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારે બાઇક ચાલકના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. જયારે પોલીસે ઘટનાની વધુ જાણકારી માટે તપાસ હાથ ધરી હતી.
દાંતા નજીક થયેલા ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો.
From-Banaskantha update