ડીસામાં કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ સહીત 2 લોકો સામે એટ્રોસીટીની ફરિયાદ રદ કરવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

ઉચ્ચસ્તરીય જાંચ કરી દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ

 

ખેડામાં કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ મહીપતસિંહ ચૌહાણ સહીત 2 લોકો સામે નોંધાયેલી ખોટી ફરિયાદ રદ કરવાની રજૂઆત સાથે ડીસામાં કરણી સેનાના કાર્યકરોએ નાયબ કલેકટરને આવેદનપત્ર
આપ્યું હતું. જયારે આ મામલે ઉચ્ચસ્તરીય જાંચ કરી દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

કરણી સેનાના કાર્યકરો ઉપર એટ્રોસીટીની સતત ખોટી ફરિયાદો થઇ રહી છે. ત્યારે સર્વે સમાજના સંસ્થાપક અને કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ મહીપતસિંહ ચૌહાણ સહીત 2 વ્યક્તિઓ સામે ખેડામાં એટ્રોસીટીની ખોટી ફરિયાદ દાખલ કરાઇ છે.
ત્યારે તેના વિરોધમાં કરણી સેના દ્વારા સરકાર આ ફરિયાદ પરત લઇ લે તે માટે રાજ્ય વ્યાપી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. જેમાં ડીસામાં કરણી સેના દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

 

આ અંગે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ‘મહીપતસિંહ ચૌહાણ શિક્ષા એજ કલ્યાણ સંકુલના માધ્યમથી અનાથ બાળકોને અભ્યાસ કરાવે છે. જયારે અનેક પ્રકારની સામાજીક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.
તેમની ઉપર દ્વેષ ભાવ રાખી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાથી આ ફરિયાદ તાત્કાલીક રદ કરવાની માંગણી કરાઇ હતી અને ખોટી ફરિયાદ મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!