પાલનપુરના જસલેણીમાં કોર્ટના હુકમથી દીવાલ તોડી રસ્તો ખુલ્લો કરી દબાણ હટાવ્યું

- Advertisement -
Share

તાલુકા પંચાયતની ટીમ સાથે રહી જે.સી.બી. મશીનથી 20 ફૂટનો રસ્તો દૂર કર્યો

 

પાલનપુરના જસલેણી ગામમાં મંગળવારે તાલુકા પંચાયતની ટીમે કોર્ટના આદેશ મુજબ 20 ફૂટનું દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પાલનપુર તાલુકાના જસલેણી ગામના કાન્તીભાઇ મનજીભાઇ પરમારે
જાહેર 20 ફૂટ રસ્તામાં દબાણ કરી લેતાં ગામના જ આદમભાઇ અબ્દુલભાઇ ભોરણીયાએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને રજૂઆત કરતાં રસ્તાનું દબાણ હટાવવામાં ન આવતાં આદમભાઇએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

 

ત્યારબાદ પાલનપુરની બીજી એડીશનલ સિનિયર સિવિલ કોર્ટે હુકમ કરતાં તાલુકા પંચાયતે દબાણ કાર્યક્રમ બનાવી મંગળવારે તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી, ગ્રામ પંચાયતના તલાટી અને
તાલુકા પોલીસને સાથે રાખી જે.સી.બી. મશીન સાથે લઇ ગ્રામ પંચાયત દ્વારા કાન્તીભાઇ મનજીભાઇ પરમાર (વણકર) ના રસ્તાનું દબાણ દૂર કરવામાં આવી પંચનામું કર્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!