પાલનપુર તાલુકાના વેડચા ગામના એક ખેતરમાં 90 ફૂટ ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી ગયો હતો. ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવવા ખેતરના માલિકે જીવદયા ફાઉન્ડેશનના જીવદયાપ્રેમીને જાણ કરી હતી.
તેઓ તાત્કાલીક દોડી આવી તેમના મિત્રને જાણ કરી હતી કે, 90 ફૂટ ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી ગયો છે. રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવવા 90 ઊંડા કૂવામાં તેને નીચે ઉતારી રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવ્યો હતો. જયારે રાજસ્થાન મેડીકલ ઉપર હોસ્પિટલમાં કબૂતર ઘર આવેલું છે. જેમાં એક કબૂતર ઉડતું નથી. જેની જાણ એક જીવદયાપ્રેમી કરતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં આવી સારવાર માટે લઇ ગયા હતા.
પાલનપુર તાલુકાના વેડચા ગામમાં રહેતા ચમનભાઈ ઠાકોરના ખેતરમાં 90 ફૂટ ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી ગયો હતો. ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવવા ખેતરના માલિકે જીવદયા ફાઉન્ડેશનના જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રીને જાણ કરતાં તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતા અને તેમના મિત્ર દેવરામભાઈ મહારાજને 90 ફૂટ ઊંડા કૂવામાં ઉતારી નીચે પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવ્યો હતો.
જયારે રાજસ્થાન મેડીકલ ઉપર હોસ્પિટલમાં કબૂતર ઘર આવેલું છે. જેમાં એક કબૂતર ઉડી શકતું નથી. જેની જાણ રણજીતભાઈ કરતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી સારવાર માટે લઇ ગયા હતા. જયારે આ સેવાકીય કામગીરી કરી તે સરાહનીય કાર્ય છે.
From – Banaskantha Update