પ્રધાનમંત્રીના આગમનને લઇ અંબાજી પોલીસ દ્વારા સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઇ

- Advertisement -
Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષાને લઇને લોખંડી પોલીસ સુરક્ષા વચ્ચે તેમની વ્યવસ્થા ગોઠવાઇ છે

 

અરવલ્લીની ગીરીમાળાઓમાં બિરાજમાન માઁ જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. હાલમાં પાવન નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે.

ત્યારે માઁ જગતજનની અંબાને ધામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇને તંત્ર દ્વારા તૈયારીઓની આખરી ઓપ આપ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષાને લઇને લોખંડી પોલીસ સુરક્ષા વચ્ચે તેમની વ્યવસ્થા ગોઠવાઇ છે.

શુક્રવારે દેશના વડાપ્રધાનના આગમનને લઇ અંબાજી પોલીસ દ્વારા અંબાજીના સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. દેશના વડાપ્રધાનની સુરક્ષા કારણોસર અંબાજીના સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઇ છે.
દેશના વડાપ્રધાનની સુરક્ષા અંગે તેમના પ્રોટોકોલને ધ્યાને રાખી અંબાજીના સ્થાનિક કોંગ્રેસ પ્રમુખ તુલસીભાઇ જોષી, સંજયભાઇ અને મેહુલ ગઢવીની અટકાયત અંબાજી પોલીસે કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!