નર્મદાથી દર્શન કરવાના બહાને લાવેલી કિશોરીને પાલનપુરમાં વેચવામાં આવે તે પહેલાં 181 અભયમે બચાવી

- Advertisement -
Share

2 શખ્સોની ચૂંગાલમાંથી બચી કિશોરી અંબાજી નાસી ગઇ

 

નર્મદા જીલ્લાના ગ્રામિણ વિસ્તારમાંથી 2 શખ્સો એક કિશોરીને દર્શન કરવાના બહાને પાવાગઢથી પાલનપુર લઇ આવ્યા હતા.

જ્યાં તેણીને અન્ય શખ્સને વેચી મારવામાં આવે તે પહેલાં તેમનાથી બચી અંબાજી જતી રહી હતી. જ્યાં પહોંચેલી બનાસકાંઠા 181 અભિયમે કાઉન્સેલિંગ કરી અંબાજી પોલીસને સોંપી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, નર્મદા જીલ્લાના ગ્રામિણ વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીની માનવ તસ્કરી થતી બચાવવામાં આવી છે.
અંગે બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સેલરે જણાવ્યું હતું કે, ‘2 શખ્સો કિશોરીને દર્શન કરવાના બહાને પાવાગઢ લઇ ગયા હતા. જ્યાંથી પાલનપુર લાવ્યા હતા અને અન્ય શખ્સને વેચી મારવાની પેરવી કરી રહ્યા હતા.

 

ત્યારે કિશોરીને આ અંગેની જાણ થઇ જતાં પાલનપુરથી બસમાં બેસી અંબાજી જતી રહી હતી. તે દરમિયાન અંબાજીથી એક મહીલાએ મોબાઇલ ફોનથી 181 અભિયમમાં જાણ કરતાં ટીમ સાથે અંબાજી
ગયા હતા. કિશોરીનું કાઉન્સેલિંગ કરતાં ઉપરોક્ત હકીકત સામે આવી હતી. જેની પાસેથી ગામના સરપંચ અને પરિવારનો સંપર્ક કરી કિશોરીને અંબાજી પોલીસ મથકે સોંપાઇ હતી.’

 

પાવાગઢથી પાલનપુર લાવેલી કિશોરીને બંને શખ્સો વેચવાની પેરવી કરી રહ્યા હતા. આ અંગેની તેણીને શંકા જતાં પોતાના મોબાઇલથી પરિવારનો સંપર્ક કરી રહી હતી.
ત્યારે બંને શખ્સોએ તેનો મોબાઇલ તોડી નાખ્યો હતો. જેમનાથી બચી તેણી અંબાજી જતી રહી હતી. જોકે, 181 અભિયમની ટીમ સમયસર પહોંચી તેણીને બચાવી લીધી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!