આર.ટી.ઇ. ના નિયમ મુજબ 60 ટકા ભરતી કરવી તે સરકારનો નિયમ છે : ગુજરાત રાજ્યમાં 19,000 જેટલાં શિક્ષકોની ઘટ છે
બનાસકાંઠા જીલ્લાના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારો વિદ્યા સહાયકની મહેકમ પ્રમાણે ભરતી થાય જેને લઇ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.
ગુરુવારે મોટી સંખ્યામાં ઉમેદવારો પાલનપુરમાં આવેલ જીલ્લા કલેક્ટર કચેરી પહોંચી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આર.ટી.ઇ.ના નિયમ મુજબ વિદ્યા સહાયકોની ભરતી કરવા રજૂઆત કરી છે.
આવેદનપત્ર પત્ર પાઠવવા પહોંચેલા ઉમેદવાર કલ્પેશભાઇ દરજીએ જણાવ્યું હતું કે, ‘ટેટ પાસ બેરોજગાર ઉમેદવારો બનાસકાંઠા જીલ્લાની અંદર જીલ્લા કલેક્ટર આનંદ પટેલને વિદ્યા સહાયકની મહેકમ પ્રમાણેની ભરતી થાય તેના માટે આવેદનપત્ર આપ્યું છે.
ગુજરાત રાજ્યમાં 19,000 જેટલાં શિક્ષકોની ઘટ છે. જે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ વિધાનસભાના મંચ ઉપર સ્વીકાર્યું હતું. ગુજરાત રાજ્યના આર.ટી.ઇ. ધારાના નિયમ મુજબ ખાલી જગ્યામાં ભરતી કરાવી તે ગુજરાત સરકારનો નિયમ છે.
છેલ્લા 5 વર્ષથી અમે ટેટ પાસ કર્યાં પછી હજુ સુધી સરકાર દ્વારા કોઇપણ મહેકમ પ્રમાણે ભરતી આપવામાં આવેલ નથી. જોકે, 19,000 જગ્યાઓ ખાલી છે. 90 ટકા મહેકમ પ્રમાણે 12,500 જેટલી ખાલી જગ્યાઓ નિયમ પ્રમાણે થાય છે.
તેમ છતાં વિદ્યા સહાયકોને તેમનો બંધારણીય અધિકારી કયાંકને ક્યાંક છીનવાઇ છે એવું લાગી રહ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન મહેકમ મંજૂર થયું છે તેની ઉપર પાસ થયેલા ઉમેદવારોનો બંધારણીય અધિકાર છે.
ગુરુવારે અમારો બંધારણીય અધિકાર માંગવા રજૂઆત કરવા આવ્યા છીએ. થોડાક સમય પહેલાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ 2,600 વિદ્યા સહાયકોની ભરતી કરીશું તેવી સ્ટેટમેન્ટ આપેલું છે.
પણ આ બાબતે શિક્ષણ મંત્રીને અમે કહેવા માંગીએ છીએ આર.ટી.ઇ. ના નિયમ મુજબ 60 ટકા ભરતી કરવી તે સરકારનો નિયમ છે. જે મહેકમ તમે મંજૂર કર્યું છે.
જેના પર વિદ્યા સહાયકોનો બંધારણીય અધિકાર છે. જો અમારી માંગણી નહી સંતોષાય તો અમારું જે વિદ્યા સહાયક આંદોલન છે યથાવત રહેશે.’
From-Banaskantha update