દાંતાના પેથાપુરનો બાળ ભક્ત અડગ શ્રદ્ધા સાથે 22 કિ.મી.ની પદયાત્રા કરી અંબાજી પહોંચ્યો : માતાજીના દર્શન અને ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી

- Advertisement -
Share

બાળ ભક્ત અને તેની માતા અંબાજી સુધી પદયાત્રા કરી માતાજીના શિખરે ધજા આરોહણ કર્યું

 

શક્તિપીઠ અંબાજીમાં માં અંબેનું હૃદય બિરાજમાન છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો માઇભક્તો પદયાત્રા કરી માં અંબેના ચરણોમાં શિશ ઝૂકાવી ધન્યતા અનુભવે છે.
મહીલાઓ, યુવાનો અને વડીલોથી લઇને નાના બાળકો પણ મેળા પ્રસંગે ચાલતાં અંબાજી આવીને માતાજીના દર્શન કરે છે. આવો જ એક બાળ ભક્ત દર વર્ષે અંબાજી મેળામાં ચાલતાં અંબાજી આવીને માતાજીના દર્શન કરે છે.

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના પેથાપુર ગામનો 6 વર્ષની નાની ઉંમરનો બાળ ભક્ત પ્રિયાંશ આશિષકુમાર રાવલ પોતાના ગામથી 22 કિ.મી.ની પદયાત્રા કરી અંબાજી આવીને માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરી છે.
પ્રિયાંશ અને તેમના માતા હેતલબેન રાવલે તા. 8 સપ્ટેમ્બર-2022 ના રોજ પદયાત્રા શરૂ કરી હતી. આ નાના બાળ ભક્તે પોતાના ઘરે સ્વ. દાદા કનુભાઇ રાવલ દ્વારા સાચવેલી ધજા જોઇને દાદી વિમળાબા સમક્ષ અંબાજી પદયાત્રા કરી અંબાજી મંદિરના શિખરે ધજા ચડાવવાની જીદ કરી હતી.

માતાએ બાળકની ધાર્મિક શ્રધ્ધાથી પ્રેરીત થઇ જ્યાં સુધી બાળક ચાલી શકે ત્યાં સુધી પદયાત્રા કરવાની શરૂઆત કરી હતી. બાળ ભક્ત અને તેની માતા અંબાજી સુધી પદયાત્રા કરી માતાજીના શિખરે ધજા આરોહણ કર્યું હતું.
બાળ ભક્ત પ્રિયાંશની આટલી નાની વયે 22 કિ.મી.ની પદયાત્રા અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની રહી છે. પ્રિયાંશના માતા જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય, મોટાસડા, તા. દાંતામાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. નાનો બાળ ભક્ત પ્રિયાંશ પેથાપુર પ્રાથમિક શાળામાં ધો. 2 માં અભ્યાસ કરે છે.
આજના આધુનિક સમયમાં શહેરી વિસ્તારના બાળકો મોબાઇલમાં ગેમ રમીને આંખોને પણ નુકશાન પહોંચાડે છે. જયારે બેઠાડું જીવન જીવવાના કારણે મેદસ્વીતા સહીત અનેક રોગોનો ભોગ પણ બને છે. ત્યારે પ્રિયાંશ જેવી માતાજીની ભક્તિની સાથે શારીરિક તંદુરસ્તીનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!