ડીસામાં આપ પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીની ધરણા કરે એની પેલા જ કરાઈ અટકાયત

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના દિયોદર સહિત 100 ગામો જેટલામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સરકાર દ્વારા પાણી ન છોડાતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આજે પાણીના મુદ્દાને લઈને આજે ખેડૂતો ધાણા પર બેસવાના હતા ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઇ ચૌધરી પણ ધરણા પર બેસવા જાય તે પહેલાં જ ડીસા ઉત્તર પોલીસ દ્વારા આપના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીની અટકાયત કરાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે પાણીની લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે સરકારને જગાડવા માટે આંદોલન કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા બે દિવસ પહેલા ડીસાના ભીલડી ખાતે આવેલ રામવાસમાં ખેડૂતોની બેઠક મળી હતી.
જેમાં ખેડૂતઓએ આહવાન કર્યું હતું કે સુજલામ સુફલામ કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ખેડૂતોની ચીમકી ઉચ્ચારી હતી તેમજ ગઈકાલે 100 જેટલા ગામોમાં ખેડૂતો ઢોલના તાલે પાણી નહીં તો વોટ નહી તેવા બેનતો લગાવ્યા હતા અને આજરોજ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાય તેવી માંગ સાથે ચાંગા પંપીંગ સ્ટેશન ધરણા પર બેસવાનો કાર્યક્રમ યોજાવાનો હતો.
જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આપના ઉપાધ્યક્ષ પ્રેમાભાઈ ચૌધરી સહિત ખેડૂતો ધરણા પર બેસવાના હતા પરંતુ પાણીના મુદ્દે ધરણા પર બેસે તે પહેલા ડીસા ઉત્તર પોલીસ દ્વારા ડીસાની તિરૂપતી સોસાયટીમાંથી આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીની અટકાયત કરી હતી.
આપના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીને પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા. પરંતુ જ્યાં સુધી પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ મથકે પણ ધરણા ચાલુ રાખવાનો આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ ધરણા ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!