ટાઇલ્સ ભરેલા ટ્રેલરને અંબાજીમાં અકસ્માત નડયો : અંબાજી નજીક માલ-સામાન ભરેલું ટ્રેલર ખાડામાં પડયું
અંબાજી નજીક આવેલા શિતળા માતાજી મંદિર પાસે રોડ પર ટ્રેલર પલ્ટી મારતાં રોડની સાઇડ 30 ફૂટ ખાડામાં ખાબક્યું હતું.
હિંમતનગરથી હરીયાણા જતાં ટ્રેલરનો અંબાજીમાં અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી ટાઇલ્સ ભરેલા ટ્રેલર જે હરીયાણા જવાનું હતું.
તે અંબાજી નજીક શિતળા માતાજી મંદિર નજીક પહોંચતાં ટ્રેલર ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રાત્રે 3:00 વાગ્યે અંબાજી નજીક રોડ પર પલ્ટી મારતાં 30 ફૂટ ખાડામાં ખાબક્યું હતું.
અકસ્માત થયેલું ટ્રેલર ટૂટીને ભાગ્યું હતું. જ્યારે ટ્રેલર ચાલક અને એમના સાથીનો આબાદ બચાવ થયો હતો.
અંબાજી નજીક આવેલા શિતળા માતાજી મંદિર નજીક થયેલા ટ્રેલરનું અકસ્માતમાં ટ્રેલર અને માલ-સામાન પૂર્ણતઃ ક્ષતિગ્રસ્ત થયું છે. જ્યારે અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી.
From-Banaskantha update