અમીરગઢમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત, પોલીસે ઓળખ પ્રક્રિયા હાથ ધરી

- Advertisement -
Share

અમીરગઢના લક્ષ્મીપુરા ગામ નજીકથી પસાર થતી ટ્રેનની અડફેટે યુવક કપાયો હોવાની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેનની અડફેટે યુવક આવતા આજુબાજુના લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.

 

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામ નજીકથી ટ્રેનની અડફેટે એક યુવક કપાતા ચકચાર મચી જવા પામી છે. યુવક રેલવેની અડફેટે કપાતા જ ઘટનાની જાણ લોકો થતા બનાવ સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી યુવકનો મૃતદેહ કબજે લઇ અમીરગઢ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જોકે, રેલવેની અડફેટે ઘવાયેલા યુવકનું ઓળખાણ ન થતા અમીરગઢ પોલીસે યુવકની ઓળખ વિધિ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!