શ્રી રામદેવપીર મંદિર અડાલજ, અંબાપુર ખાતે રામાનંદ સાધુ સમાજનો સમૂહ લગ્નોત્સવ હિતેશભાઈ મકવાણા (મેયર ગાંધીનગર), શંભુજી ઠાકોર (ધારાસભ્ય ગાંધીનગર), રૂચિરભાઈ ભટ્ટ (અધ્યક્ષ ગાંધીનગર ભાજપ), ખોડીદાસ સાધુ (પ્રમુખ સમુહ લગ્ન કમિટી), બાબુજી ઠાકોર (પરચા ધામ રામદેવ મંદિર) અને રામાનંદ સાધુ સમાજ કમિટીના સભ્યો તેમજ સમાજના ભાઈ-બહેનો અને યુવાનોની ઉપસ્થિતમાં યોજાયો હતો.
ભોજન દાતાનો લાભ સ્વર્ગસ્થ મહંત ભાણદાસબાપુ વિરમગામના સ્મરણમાં મુકેશભાઈ ભાણદાસ સાધુએ લીધો હતો. દાતા ડી.કે.રાજપાલ (ફુલેત્રા), મનુભાઈ સાધુ (બોટાદ), ગં.સ્વ. જશીબેન નટવરલાલ સાધુ (ડાકોર), દિનેશભાઈ મુળદાસ (પેથાપુર) સાધુ જયદેવજી (સુરજ), ફુલદાસ ભગવાનદાસ સાધુ (મફલીપુર) સહિતના દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી.
From – Banaskantha Update