પાલનપુરમાં સોના ચાંદીના વેપારી પર હથિયાર વડે જીવલેણ હુમલો, વેપારી લોહીલુહાણ

- Advertisement -
Share

પાલનપુરના બીજેશ્વર કોલોની પાસે ગતરોજ સોના ચાંદીના વેપારી પર બુકાનીધારી બાઈક સવાર ત્રણ શખ્સોએ હથિયાર વડે વેપારીને માર મારી વેપારીના હાથમાંથી પૈસા અને દુકાનની ચાવી લૂંટવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ હુમલો થતા આજુબાજુના લોકો આવી જતા હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં લૂંટ ધાડ તેમજ ચોરીના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેમ એક પછી એક આ ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક ગણાતા પાલનપુર ખાતે એક સોના ચાંદીના વેપારી જીતેન્દ્ર અગ્રવાલ નામના યુવક પર પાલનપુરના બ્રિજેશ્વર કોલોની પાસે બુકાનીધારી બાઈક સવાર ત્રણ શખ્સોએ સોના ચાંદીના વેપારી જીતેન્દ્ર અગ્રવાલ પર હથિયાર વડે જીવલેણ હુમલો કરાયો હતો.
હુમલા ખોરોએ વેપારીને માર મારી હાથમાંથી પૈસા અને દુકાનની ચાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. તેમ જ આ હુમલામાં સોના ચાંદીના વેપારી જીતેન્દ્ર અગ્રવાલ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બુમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જે બાદ બુકાનીધારી ધારણ કરીને આવેલા બાઈક સવાર પર ત્રણ શખ્સો હુમલો કરી નાસી છૂટ્યા હતા.
જે બાદ હુમલામાં લોહી લોહાણ હાલતમાં વેપારીને સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ વેપારીને ફોન પર અલગ અલગ નામથી ધમકીઓ આવતી હતી જેથી આ ધમકીઓ મામલે જીતેન્દ્ર અગ્રવાલ નામના વેપારીએ પોલીસ મથકે લેખિતમાં જાણ કરી હતી.
તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગતરોજ આ સોના ચાંદીના વેપારી જીતેન્દ્ર અગ્રવાલ પર બાઈક પર બુકાનીધારી ‌ધારણ કરીને બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ હુમલાખોરોને ઝડપી પાડવા માટે કેટલી સક્રિય રહે છે તે તો હવે આવનાર સમય બતાવશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!