સરકાર દ્વારા તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં 500 કરોડની ગૌશાળા તેમજ પાંજરાપોળને સહાય આપવાની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લા પાંચ મહિનાથી સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને એક રૂપિયાની સહાય ન ચૂકવતા આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ કાંડ પાંજરાપોળ ખાતે 170થી વધુ ગૌશાળા પાંજરાપોળના સંચાલકોની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને આજે આ તમામ સંચાલકો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે અને જો 15 દિવસમાં સરકાર દ્વારા સહાય ચુકવણી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા બજેટમાં સરકાર દ્વારા ગુજરાતની તમામ ગૌશાળા તેમજ પાંજરાપોળને 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લા પાંચ મહિનાથી ગુજરાતની તમામ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોને એક પણ રૂપિયાની સહાય આપવામાં ન આવતા ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ અનેક વાર સ્થાનિક તે લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી છે.
પરંતુ આજ દિન સુધી કોઈ જ સરકાર દ્વારા નિર્ણય ન લેવાતા આખરે આજે બનાસકાંઠા જિલ્લાની 170 થી વધુ ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોની ડીસાની કાંટ રાજપુર પાંજરાપોળ ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને આજે આ તમામ ગૌશાળા પાંજરાપોળના સંચાલકો જિલ્લા કલેકટર ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તેવી રજૂઆત કરશે અને જો 25 તારીખ સુધી સરકાર દ્વારા સહાયની ચુકવણી કરવામાં નહીં આવે તો તમામ પશુઓને નજીકની સરકારી કચેરીઓમાં સરકારને સોંપી દેવાની ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી.
From – Banaskantha Update