ડીસાના માતાશેરીથી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કરશે

- Advertisement -
Share

ડીસામાં 44 વર્ષથી નીકળતો પગપાળા સંઘ પૂનમે બહુચરાજી પહોંચશે

 

ડીસા સ્થિત બહુચર કૃપા સંઘ દ્વારા અને મોદી સમાજ દ્વારા આયોજીત ડીસાથી બહુચરાજી 44 માં પગપાળા સંઘ રવિવારે ડીસાના માતાશેરી ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરથી બહુચરાજી તરફ જવા પ્રસ્થાન કરશે.

ડીસાથી નીકળેલ બહુચરાજી પગપાળા યાત્રા સંઘ સોમવારે સવારે પાટણમાં પહોંચતા ભવ્ય શોભાયાત્રા નગરમાં ફરશે. જેનું ઠેર-ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે.

જયારે મંગળવારના દિવસે મોઢેરામાં આરતી થશે. ત્યારબાદ આનંદના ગરબાની મંડળો દ્વારા રમઝટ બોલાશે અને બુધવારે સંઘ સવારે બહુચરાજી મુકામે પહોંચી ત્યાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળશે.
માં બહુચર માતાજીની આસ્થા ધરાવતા સમાજના ભાઇઓ અને પગપાળા સંઘના આયોજકો સુંદર આયોજન કરી ખડેપગે સેવાઓ આપશે. આ પગપાળા સંઘમાં વધુને વધુ ધર્મપ્રેમી લોકો જોડાય તેવો અનુરોધ કર્યો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!