પ્રમાણિકતા હજી જીવંત છે : દિયોદરમાંથી મળેલા 60 હજાર રૂપિયા યુવાને પરત કર્યા, સન્માન કરાયું

- Advertisement -
Share

દિયોદરના રૈયા ગામના ખેડૂત મંગળવારે માર્કેટયાર્ડમાં માલ વેચી રૂપિયા 60 હજાર રોકડ લઇ જતાં પડી ગયા હતા. ત્યારે માર્કેટયાર્ડમાં પેઢીમાં મહેતાજી તરીકે કામ કરતાં યુવકોને મળ્યા હતા. જે રૂપિયા મૂળ માલિકને પરત કરતાં દિયોદર માર્કેટયાર્ડ સમિતિ વેપારી મંડળ દ્વારા તેમનું સાલ ઓઢાવીને સન્માન કરાયું હતું.

 

દિયોદર તાલુકાના રૈયા ગામના એક ખેડૂત માલ લઇ અને દિયોદર માર્કેટયાર્ડ ખાતે મંગળવારે આવ્યા હતા. જે માલના વેચાણ બાદ 60 હજાર રૂપિયા રોકડ રકમ તેમના ખિસ્સામાંથી પડી ગયા હતા. જે શોધખોળ કરવા છતાં મળ્યા નહતા. ત્યારે મંગળવારે મોડી સાંજે દિયોદર શિવમ કોર્પોરેશનની પેઢીમાં મેતાજી તરીકે ફરજ બજાવતા દશરથભાઈ ઠાકોર (મૂળ રહે.ભીમ બોરડી,તા.ભાભર) અને ભરતભાઈ પટેલ (રહે.નાણોટા,તા.કાંકરેજ) ને 60,000 રૂપિયા દુકાનની પાછળના ભાગેથી મળ્યા હતા.
જે રૂપિયા 60,000 દિયોદર માર્કેટયાર્ડ સમિતિની ઓફિસ ખાતે બુધવારે સવારે જમા કરાવતા જાહેરાત કરતા મૂળ માલિક મળી આવતા 60000 રૂપિયા રૈયા ગામના ખેડૂતને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારે દિયોદર માર્કેટયાર્ડ સમિતિ વેપારી મંડળ દ્વારા બંને મહેતાજીઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!